મહેશ પુરોહિત, સંસ્થાપક
બાળક એ પંખી સમાન છે. તેનું આકાશ બનો પીંજરું નહી
શિક્ષણ દ્વારા થતું ઘડતર એ વ્યક્તિગત નથી હોતું. શિક્ષણ દ્વારા થતું ઘડતર એ સામાજિક હોય છે. જે રીતે ચોખાની ધરૂમાં મૂઠીભર ચોખાના દાણા હોય છે. પરંતુ પ્રત્યેક ચોખાનો દાણો અનેક ચોખાના દાણા પેદા કરવા જેટલો સક્ષમ હોય છે. બિલકુલ એ જ રીતે જયારે કોઈ વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે છે, ત્યારે તેનાથી થતો લાભ જે-તે વિદ્યાર્થી પૂરતો સીમિત નથી રહેતો પણ સમગ્ર સમાજ માટે, એટલે કે સર્વ-સમાવેશી હોય છે. જય વાંકલ ટ્યુશન કલાસીસ એ આદર્શ વિદ્યાર્થીઓની ધરૂવાડી છે. અમે દેશને માત્ર વ્યવસાયિકો જ નહિ, પરંતુ આદર્શ નાગરીકો આપીએ છીએ.